Monday 1 June 2020

દમણના નગરસેવકો અને વેરો વધારો

દમણ નગરપાલિકાના નગરસેવકો દ્વારા ૨૯/૦૫/૨૦૨૦ ના રોજ બેઠક કરી ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

એવું લાગે છે કે દમણ નગરપાલિકા દ્વારા અસહ્ય વેરા વધારાથી પીડાતા દમણવાસીઓની વહારે આવ્યા હોય એવું લાગી રહ્યું છે.

એમનો ઠરાવ વાંચતાં નીચે પ્રમાણે વિચારો ઉદભવે છે:

(૧)  આ ઠરાવ પસાર કર્યો ત્યારે દમણ નગરપાલિકાના મુખ્ય અધિકારી હાજર નહીં હતાં.

(૨)  શું દમણ નગરપાલિકાના મુખ્ય અધિકારી વગર સરકારી કામ થઈ શકે?

(૩)  જો આ ઠરાવ સરકારી નથી તો પછી આ પસાર કરવાનો મતલબ શું હોય શકે?

(૪)  આ ઠરાવ પસાર કરી લોકોનો ગુસ્સો શાંત કરવાનો પ્રયાસ છે?

(૫)  કે પછી લોકોને મુર્ખ બનાવવાનો પ્રયાસ છે?

દમણના દરેક નગરસેવકને આહવાન છે કે જો એ લોકો દમણના લોકોની સાથે છે તો આ અસહ્ય વેરા વધારાના વિરોધમાં રાજકારણ ભૂલીને વિરોધ કરવામાં લોકોની સાથે આવે અને જાહેરમાં બોલે કે દમણ નગરપાલિકાના દરેક ચૂંટાયેલા સભ્યો અસહ્ય વેરા વધારાના વિરોધમાં લોકોની સાથે છે અને આ વેરો વધારો પાછો નહીં ખેંચાઈ ત્યાં સુધી લોકોની સાથે રહીને વેરા વધારોનો વિરોધ કરશે.


No comments:

Post a Comment