Sunday 19 November 2023

દમણનાં રસ્તાઓ Roads of Daman

દમણનાં રસ્તાઓની પરિસ્થિતિ  જાણવા માટે નીચે મુજબ માહિતી અધિકાર હેઠળ અરજીઓ કરી હતી.

To know the status of roads in Daman, the following applications were made under Right to Information.


FORM BCR IV આપવામાં આવ્યું છે જે આ હેતુ માટે જ કોમ્પ્યુટર પર બનાવવામાં આવ્યું છે. વાસ્તવમાં આ પત્રક હાથેથી ભરવામાં આવે છે.

FORM BCR IV is provided which is computer generated for this purpose only. Actually this form is filled manually.

ફોર્મ બીસીઆર ૪માં જે એડમીનીસ્ટ્રેટીવ એપ્રોવલ અને એક્સપેન્ડીચર સેન્કશન ૫૭૧૧ લખેલ છે, તે નીચે રજૂ કરું છું.

Administrative Approval and Expenditure Sanction 5711 noted in FORM BCR IV is presented below:



એસ્ટીમેટ ૨૩૬૨૦ માં જે રસ્તા બનાવવાનાં છે, એ નીચે મુજબ છે:
(૧) ભીમપોર ચાર રસ્તાથી કોસ્ટ ગાર્ડ એર સ્ટેશન 
(૨) ઝરી કોઝવેથી ભીમ તળાવ અને ભીમ તળાવથી ભામટી
(૩) કચીગામ ચાર રસ્તાથી ઝરી કચીગામ પૂલ
(૪) ભીમપોર ચાર રસ્તાથી શીતલ ચોકડી વાયા મોટી વાંકડ

The roads to be constructed in Estimate 23620 are as follows:

(1) Bhimpore Char Road to Coast Guard Air Station
(2) Zari Causeway to Bhim Talav and Bhim Talav to Bhamti
(3) Kachigam Char Rasta to Kachigam Bridge
(4) Bhimpore Char Road to Sheetal Chowk via Moti Vankad

આ કાર્ય માટે ₹૪૭,૧૦,૯૬,૯૬૦/- મંજૂર કરવામાં આવ્યા હતા. 

₹47,10,96,960/- was sanctioned for this work.

રસ્તાઓનું વિવરણ નીચે આપેલ રીપોર્ટમાં જોઇ શકાય છે:

Names of the roads can be seen in the report below:

 

નીચે આપેલ અરજી મારફત એસ્ટીમેટ ૨૩૬૨૦ હેઠળ બનેલ રસ્તાનાં બિલ અને વર્ક ઓર્ડર વગેરે માંગવામાં આવ્યા હતા, જે હજુ સુધી આપવામાં આવ્યા નથી.

Through the below application, the bills and work orders etc. of the road constructed under estimate 23620 were sought, which have not been provided yet.


નીયેની અરજી મારફત એસ્ટીમેટ ૨૩૬૨૬ની માહિતી માંગવામાં આવી હતી:

Through below mention application, details of estimate 23626 was sought:



આ અરજીથી મેળવેલ માહિતી નીચે મુજબ છેઃ

The information obtained from this application is as follows:

ફોર્મ બીસીઆર ૪માં એક બીજું પણ એડમીનીસ્ટ્રેટીવ એપ્રુવલ અને એક્સપેન્ડીચર સેન્કશન નંબર ૫૫૪૦ તા. ૨૮/૧૦/૨૦૨૦ના રોજે ₹૩૫,૪૪,૪૯,૬૨૧/- નું બતાવવામાં આવ્યું છે, જેની નકલ નીચે આપવામાં આવી છે:

Another Administrative Approval and Expenditure Sanction No. 5540 dt. 28/10/2023 in FORM BCR IV for ₹35,44,49,621/-, a copy of which is given below:


બંને એસ્ટીમેટના એડમીનીસ્ટ્રેટીવ એપ્રુવલ અને  એક્સપેન્ડીચર સેન્ક્શનનો સરવાળો ₹૪૭,૧૦,૯૬,૯૬૦/- + ₹૩૫,૪૪,૪૯,૬૨૧/- = ₹૮૨,૫૫,૪૬,૫૮૧/- થાય છે.




ઉપર આપેલ ફોર્મ બીસીઆર ૪ મુજબ ૧૧ બિલ ચુકવાયા છે, જેનાં મારફત ₹૬૬,૭૭,૯૭,૪૮૩/- (₹ છ્યાસઠ કરોડ સિત્તોતેર લાખ સત્તાણુ હજાર ચારસો ત્યાસી પૂરા) ની ચૂકવણી થઈ ચૂકી છે.

આ બંને એડમીનીસ્ટ્રેટીવ એપ્રુવલ અને એક્સપેન્ડીચર સેન્કશન હેઠળ નીચે દર્શાવેલ રસ્તાઓ માટે છે.

(૧) કુંતા સરહદથી ભેંસલોર જંક્શન
(૨) ભેંસલોર જંક્શનથી મશાલ ચોકથી પુલિસ મુખ્યાલય
(૩) મશાલ ચોકથી તીન બત્તી

આ બે કામ મળીને જે એક કામ બનાવવામાં આવ્યું તેમાં નીચે મુજબના કુલ સાત (૭) રસ્તા બનવાનાં હતાઃ

(૧) ભીમપોર ચાર રસ્તાથી કોસ્ટ ગાર્ડ એર સ્ટેશન 
(૨) ઝરી કોઝવેથી ભીમ તળાવ અને ભીમ તળાવથી ભામટી
(૩) કચીગામ ચાર રસ્તાથી ઝરી કચીગામ પૂલ
(૪) ભીમપોર ચાર રસ્તાથી શીતલ ચોકડી વાયા મોટી વાંકડ
(૫) કુંતા સરહદથી ભેંસલોર જંક્શન
(૬) ભેંસલોર જંક્શનથી મશાલ ચોકથી પુલિસ મુખ્યાલય
(૭) મશાલ ચોકથી તીન બત્તી

હવે દરેક જાગૃત નાગરિકોએ જણાવવાનું છે કે આમાંથી કેટલા રસ્તા બન્યા છે એ કોમેન્ટ કરી જણાવશો.

















 

Wednesday 8 November 2023

Daman Municipal Council

Outer Development Plan and General Development Rules for  Daman district were published  and correspondingly Daman Municipality also requested people to give representation to make suitable changes in their bylaws wherein I had also submitted a representation.

When the meeting of all petitioners was called by the Chief Officer of Daman Municipal Council, it came to light that only three (3) petitions were received and only I had submitted in individual capacity. No political parties or political leader or social worker submitted representation. Perhaps they thought that they needed to be in a good book of the government or else they will fall from grace and will have to face hardships.

All three (3) of us had one thing in common, which was regarding FSI. Generally FSI is increased everywhere whenever it is possible but Daman Municipality may be the only municipality in the world where they have tried to reduce FSI. It is worth pondering, whose brainchild could be this great idea?

Second point was related to roads. According to the Outer Development Plan, every road is to be at least 12 meters in width. There are many streets with roads which are narrower than 12 meters and if these roads are made of 12 meters, there won't be enough space left for construction after leaving space for set-back, etc. between two roads. Many of us may have been to Mumbai or other countries, they also have narrow roads then why this mentality to widen roads without any needs or demand from people and displace people? Were not Councilors elected by citizens to make their lives easier and fight for them or were they elected to RULE US?

The third point was regarding converting land into non-agruliculture. As per General Development Rules and Outer Development Plan of Daman district, there are no specific agriculture zone earmarked for the same and most of the area in the Daman Municipality are urbanisable. Since there are no specified agricultural zone, now it should not be necessary to get land converted into non-agriculture before obtaining construction permission. People should be relieved of the cumbersome, money and time-consuming process of converting land into N. A. land.

The fourth point is that the entire Daman district may be included in the Daman Municipality. The area of ​​Daman District is 72 Sq.KM. which may be two-three wards of big municipal corporations. For such an area, Gram Panchayat, District Panchayat, municipality functions and above all Collector (District Magistrate) is there too.

Reducing all these institutions and merging it into Daman Municipality,  like whole of Chandigarh functions under municipality to reduce the expenses, just like Daman and Diu expenses came down by amalgamating with the Dadra and Nagar, Haveli.

Let me know if you have anything to good to say about my petition.

Petition given to Daman Municipal Council






Wednesday 1 November 2023

દમણ મ્યુનિસિપલ કાઉન્સિલ

દમણ જીલ્લાના આઉટર ડેવલોપમેન્ટ પ્લાન અને જનરલ ડેવલોપમેન્ટ રુલ્સ બહાર પડ્યા અને એને અનુલક્ષીને દમણ મ્યુનિસિપાલિટીએ પણ પોતાના બાય-લોઝમાં ફેરફાર કરવા માટે લોકો પાસેથી આવેદન મંગાવ્યા હતા, જેમાં મે પણ આવેદન આપ્યું હતું.

જ્યારે આવેદનકર્તાઓની બેઠક બોલાવવામાં આવી ત્યારે ખબર પડી કે દમણ નગરપાલિકા વિસ્તારમાંથી ફક્ત ત્રણ (૩) આવેદનપત્રો આવ્યા હતા, જેમાનું એક મારું હતું પણ કોઈ પણ રાજકીય પક્ષો કે આગેવાનોએ આવેદન આપ્યા ન હતા, કદાચ એમણે એમ હશે કે આપણે તો સરકાર સાથે મળી આપણી પોતાની ખીચડી પકવવાની છે તો આપણે આમાં આવેદન આપશું તો આપણી ખીચડી બગડી જશે.

અમારા ત્રણ જણામાં એક વાત સામાન્ય હતી. જે હતી, એફએસઆઈ બાબત. સામાન્ય રીતે દરેક જગ્યાએ એફએસઆઈ વધારવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે પણ દમણ  નગરપાલિકા એક માત્ર એવી નગરપાલિકા હોય શકે છે જ્યાં એફએસઆઈ વધારવાની જગ્યાએ એફએસઆઈ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ મહાન વિચાર કોના મનમાં ઉદ્દભવ્યો હશે એ વાત વિચારવા લાયક છે.

બીજો મુદ્દો રસ્તા વિષે હતો. આઉટર ડેવલોપમેન્ટ પ્લાન પ્રમાણે કોઇ પણ રસ્તાની પહોળાઈ ઓછામાં ઓછી ૧૨ મીટર થનાર છે. દમણ નગરપાલિકા વિસ્તારમાં ઘણાં રસ્તા એવાં છે જે ૧૨ મીટર કરતા ઘણાં નાના છે પણ જમીની વાસ્તવિકતા એવી છે કે જો ૧૨ મીટરનો રસ્તો બનાવવો હોય તો ઘણી શેરીઓમાં બે રસ્તા બન્યા પછી સેટ-બેક વગેરે છોડતા બાંધકામ લાયક જગ્યા જ નહીં બચશે. આપણામાંથી ધણા મુંબઈ કે અન્ય મોટા દેશ-વિદેશના શહેરોમાં ફર્યા હશે, એમણે ખ્યાલ હશે કે ત્યાં પણ સાંકડી ગલીઓ છે તો આપણી ત્યાં જ લોકોને નુકસાન કરીને રસ્તા પહોળા કરવાની ખૂજલી કેમ થાય છે?

ત્રીજો મુદ્દો જમીનને બિન ખેતીમાં ફેરવવા વિષે હતો. જનરલ ડેવલોપમેન્ટ રુલ્સ અને આઉટર ડેવલોપમેન્ટ પ્લાન હેઠળ હવે દમણમાં ખેતી માટે કોઈ જમીન ફાળવવામાં નથી આવી અને દમણ નગરપાલિકામાં મોટા ભાગની જમીન શહેરીકરણ હેઠળ આવરવામાં આવેલી હોય હવે જમીનને બિન ખેતીમાં ફેરવવાની પ્રક્રિયામાંથી છુટકારો આપવામાં આવે અને સામાન્ય વ્યક્તિને સમય અને નાણાં માંગતી માંથાકુટવાળી પ્રક્રિયામાંથી મુક્તિ આપાવવામાં આવે.

ચોથો મુદ્દો છે આખા દમણ જીલ્લાને દમણ નગરપાલિકામાં સમાવિષ્ટ કરવામાં આવે. દમણ જીલ્લાનો વિસ્તાર ૭૨ વર્ગ કુલો મીટર છે જે કદાચ મોટી નગરપાલિકાના બે-ત્રણ વોર્ડ જેટલી હશે. આટલા વિસ્તાર માટે ગ્રામ પંચાયત, જીલ્લા પંચાયત, નગરપાલિકા કામ કરે છે અને સમાહર્તા તો ખરા જ.

આ બધી સંસ્થાઓ ઘટાડીને ફક્ત નગરપાલિકા રાખવામાં આવે જેવી રીતે આખા ચંદીગઢમાં નગરપાલિકા કાર્ય કરે છે, જેથી કરીને ખર્ચો ઘટાડી શકાય, જેવી રીતે દમણ અને દીવને દાદરા અને નગર, હવેલી સાથે ભેળવીને ઘટાડવામાં આવ્યો હતો.

મારા આ પ્રસ્તાવ બાબતમાં આપની કોઈ પ્રતિક્રિયા હોય તો જણાવશો.

દમણ મ્યુનિસિપલિટિમાં આપેલ આવેદન.























Tuesday 31 May 2022

દાનહ અને દમણ-દીવ પ્રશાસન દ્વારા જમીન સંપાદન અને માહિતી ‌અધિકારના કાયદાની મજાક નથી થઇ રહી? કે પછી આ બધુ ભ્રષ્ટાચાર કરવા માટે સંતાડવામાં આવે છે?

જમીન સંપાદન વિશે માહિતી મેળવવા માટે માહિતી અધિકાર હેઠળની અરજી તા: ૦૯/૦૯/૨૦૨૦:

"એનહેચ-૮૪૮બી જંકશનથી તીન બત્તી, નાની દમણ સુધીના રોડને પહોળો કરવા માટે જમીન સંપાદન" નામના જમીન સંપાદનના સંદર્ભમાં નીચેની માહિતી પ્રદાન કરો, જેનો નંબર ૩/૮૩/LND-ACQ/૨૦૨૦-૨૧/૬૬૧૬ તારીખ ૧૩/૦૮/૨૦૨૦:

(૧) જમીન સંપાદનની દરખાસ્ત સાથે એનહેચ-૮૪૮બીની બનાવેલ સમગ્ર ફાઇલની પ્રમાણિત નકલ (નોંધો સહિત)

(૨) પંચાયતો અને મ્યુનિસિપાલિટી (નોંધ સહિત) સાથે પરામર્શ માટે તૈયાર કરેલી સમગ્ર ફાઇલની પ્રમાણિત નકલ જેમાં પંચાયતો અને નગરપાલિકાના જવાબો છે.

(૩) લેન્ડમાર્ક સાથે સ્થાન, સર્વે નંબર, પ્લોટની સીમાઓ, સૂચિત સંપાદન સીમાઓ વગેરે દર્શાવતા નકશા (ઓટોકેડ ફોર્મેટમાં સોફ્ટકોપી)

(૪) આ સંપાદન કર્યા પછી થનારા રસ્તાની પહોળાઈની વિગતો પ્રદાન કરો
 
૦૭/૧૦/૨૦૨૦ના રોજે કલેકટરના સુપ્રિટેન્ડન્ટે જવાબ આપતા લખ્યુ કે "તમને ચોક્કસ કંઈ મહિતી જોઈએ છે તે જણાવશો."

આવો જવાબ મળ્યો એટલે મારે ૧૯/૧૦/૨૦૨૦ના રોજ કલેકટરને પ્રથમ અપીલ કરવી પડી હતી કારણ કે આ ફક્ત એક બહાનું હતું માહિતી નહીં આપવા માટે, બાકી અરજીમાં સમજ નહીં પડે એવું કશું જ નથી અને આ વાતની માહિતી અધિકારીને છેક ૨૯માં દિવસે જ ખબર પડી. (૩૦ દિવસમાં માહિતી આપવાની હોય છે)

આ મામલે વારંવાર યાદ કરાવ્યા પછી ડેપ્યુટી કલેકટર ‌‌શ્રી અપૂર્વ શર્માએ ૦૩/૧૧/૨૦૨૧ના રોજ પ્રથમ અપીલ સાંભળી પણ એમની બદલી થઇ ત્યાં સુધી હૂકમ પસાર નહી કર્યો હતો.

શ્રી અપૂર્વ શર્માની બદલી પછી પણ વારંવાર યાદ અપાવતા બદલી થઇ આવેલા ડેપ્યુટી કલેકટર શ્રી મોહિત
 મિશ્રાએ ફરીથી પ્રથમ અપીલ સાંભળી અને એ વખતે માહિતી નહીં આપવા માટે પ્રથમ અપીલીય અધિકારી નવું તૂત લાવ્યા. અપીલીય અધિકારી તરીકે જે એમના કાર્યક્ષેત્રમાં નથી એવી વાત એમણે કરી.                  
જે સવાલ ઊભો કરવાનો અધિકાર ફક્ત  માહિતી અધિકારી પાસે જ છે તે સવાલ શ્રી મોહિત શર્માએ ઊભો કર્યો હતો.

અપીલીય અધિકારી શ્રી મોહિત શર્માએ સુનાવણી દરમ્યાન થર્ડ પાર્ટીનો પ્રશ્ન ઊભો કર્યો હતો અને માહિતી અધિકારી શ્રીને હૂકમ કર્યો હતો કે જેમની પણ જમીન સંપાદન થવાની છે એ દરેકને એક પત્ર લખો કે આવી માહિતી માંગવામાં આવી છે તમે માહિતી આપવા માંગો છો કે નહીં તે જણાવશો. આનો મારા દ્વારા વિરોધ કરવામાં આવવા છતાં  અપીલીય અધિકારી શ્રીએ તે માન્ય નહીં રાખી એક મહિના પછીની તારીખ આપી હતી.

એક મહિના પછી જ્યારે ફરી સુનાવણી થ‌ઈ ત્યારે માહિતી અધિકારી શ્રીએ જે ફાઈલ રજુ કરી તેમાં એક નોટ શીટ હતી જેમાં ફક્ત કેટલાં જણાએ માહિતી આપવા સામે વિરોધ કર્યો હતો એની જ નોંધ હતી. કેટલાં પત્રો મોકલવામાં આવ્યા હતા, કેટલાંએ હા પાડી, કેટલાંએ જવાબ નહીં આપ્યો હતો એની કોઈ માહિતી ન હતી. આ પ્રક્રિયાનો ફરી વિરોધ કરવામાં આવતા પાછી એક મહિના પછીની તારીખ આપવામાં આવી હતી.

એક મહિના પછી જ્યારે પાછા મળ્યા ત્યારે ફરી એક મહિના પછીની તારીખ આપવામાં આવી છે.

જે માહિતી માટે થર્ડ પાર્ટીનું બહાનું કાઢી સમય પસાર કરવામાં આવે છે તે માહિતી કાયદા પ્રમાણે થર્ડ પાર્ટીની માહિતીમાં આવતી જ નથી. જે માહિતી માંગી છે એ માહિતી કલેકટર કચેરીમાં જ બનાવવામાં આવી છે, કોઈ થર્ડ પાર્ટી તરફથી આપવામાં નથી આવી ખાસ કરીને જેમને પત્રો લખીને પૂછવામાં આવ્યું છે એમણાં દ્વારા તો નથી જ આપવામાં આવી.

વિધિની વક્રતા તો જુઓ. જેમનું જમીન સંપાદન બાબતમાં કોઈ સાંભળતું નથી, એવા જમીન માલિકોને પત્ર લખી પૂછવામાં આવી રહયુ છે કે આ માહિતી આપવી કે નહીં?

હવે મુદ્દાની વાત 

આ માહિતી જે જમીન સંપાદન વિશે હતી તેના વિશે કોઈ પણ માહિતી અસરકર્તાઓએ માંગણી કરવા છતાં જમીન સંપાદન કાયદાની વિરુદ્ધ જઈને પણ આપવામાં આવતી નથી.

માહિતી અધિકાર કાયદા હેઠળ પણ કાયદા વિરુધ્ધ અનેક વાંધા કાઢી માહિતી હજૂ સુધી આપવામાં આવી નથી.

મહત્વની વાત એ છે કે જો આ અરજીની માહિતી યોગ્ય સમયે મળતે તો લોકોને સમજ પડત કે આ યોજનાનો સાથ આપવો કે વિરોધ કરવો. માહિતીના અભાવે મોટા ભાગના લોકો વિરોધમાં છે અને જેમણે પોતાનો વિરોધ જાહેર નથી કર્યો તે બધા ડરેલા છે કે જો તેઓ વિરોધ કરશે તો...

પ્રશાસનમાં આ નવી પ્રણાલી ચાલુ થઈ છે, પ્રશાસનના કોઈ પણ કામકાજ માટે કોઈ પણ માહિતી જાહેર કરવામાં નથી ‌આવતી. પછી ભલે એ યોજના વિશેની માહિતી, માહિતી અધિકારના કાયદા હેઠળ કેમ નહીં માંગવામાં આવી હોય?

આવી પ્રણાલી શરૂ કરી શું પ્રશાસન જમીન સંપાદન અને માહિતી અધિકારના કાયદાની મજાક નથી ઉડાવતુ? કે પછી આ રીતે દરેક કાયદાની મજાક ઉડાવવમાં આવે છે? કે પછી આ ભ્રષ્ટાચાર સંતાડવા માટે છે?

Tuesday 25 January 2022

Merger of UT of Daman & Diu with UT of Dadra & Nagar, Haveli on public demand. Really?

Conclusion of the information sought and received for the below mentioned RTI application:

(1) Nobody had demanded for merger.

(2) No demands were made from both the Union Territories.

(3) It was reported in the newspapers that the demands for merger were received from the administration in the central government. Then what about news given to the media by the administration?  Was it with aim to spread misinformation in the people?

(4) Only one paper was sent to the Cabinet meeting for passing Dadra and Nagar, Haveli and Daman and Diu (Merger of Union Territories) Bill, 2019.

(5) So was the bill passed in the cabinet without any discussion?  What can be discussed on just one paper?

(6) Our honourable MP Shri Lalubhai Patel informed the nation through Parliament that the people of Daman and Diu wants Daman-Diu and Dadra-Nagar, Haveli to be merged into one another to form a new Union Territory.

(7) According to the information given, the honourable Member of Parliament blatantly lied in the Lok Sabha.  No one from Daman-Diu or Dadra-Nagar, Haveli has demanded the merger.

(8) According to the information provided by the Ministry of Home Affairs, there were four petitions opposing the merger.

(9) Although four petitions opposing the merger and not a single petition in support, the merger has taken place.

(10) The administration at the time of the merger claimed that this would save the government money.  But the government has nothing concrete on records on the matter, exept gossip.

(11) There was no demand for the merger, the information that the government will reduce the expenses has been proved wrong by the information received. Now the question is, on whose demand two different territories with different cultures and laws were merged and what could be the benefit to those who carried out this scheme?

RTI application to MoHA
Information provided by Ministry of Home Affairs 

Information provided by Home Department, UT of DNH & DD


Provide following information/Certified copy with regard to merger of UT of Daman & Diu with UT of Dadra & Nagar, Haveli into one Union Territory of Dadra & Nagar, Haveli and Daman & Diu:

1) All representation received with request of merger from UT of Daman & Diu

2) All representation received with request of merger from UT of Dadra & Nagar, Haveli

3) Entire file submitted by the Administration of Daman & Diu (including Notings)

4) Entire file submitted by the Administration of Dadra & Nagar, Haveli (including Noting)

5) All representation received opposing said merger (including notings)

6) Entire file submitted by the Cabinet Secretariat for approval of merger of UTs (including notings)

7) Benefits (recorded in file) that may be accrued, if both UTs are merged

Information given by Ministry of Home Affairs, GoI

"...to say that the information  sought by you at Point Nos. 1, 2, 3, 4 and 7 pertains to the UT Administration of Dadra & Nagar, Haveli and Daman & Diu therefore your RTI application is being transferred herewith..."

"...information sought by you at Point Nos. 5 and 6 of your RTI application under reference the requisite information is as under..."

Point No. 5 - Four representations received in this Ministry have been forwarded to the UT Administration of Dadra and Nagar, Haveli and Daman and Diu vide this Ministry's letters dated 05.08.2019 and 10.02.2021 for examination/taking necessary action under intimation to the petitioners

Point No. 6 - The entire file was not submitted to the Cabinet Secretariat. Only a communication was sent for seeking approval of Cabinet on 'The Dadra and Nagar, Haveli and Daman and Diu (Merger of Union Territories) Bill, 2019

Information provided by the Home Department, Dadra & Nagar, Haveli and Daman and Diu 

Point No. 1 - All representation received with request of merger from UT of Daman & Diu 

Reply - The information sought in your RTI application is not available in this office 

Point No. 2 - All representation received with request of merger from UT of Dadra & Nagar, Haveli

Reply - As Above

Point No. 3 - Entire file submitted by the Administration of Daman & Diu (including noting)

Reply - As Above

Point No. 4 - Entire file submitted by the Administration of Dadra & Nagar, Haveli (including Noting)

Reply - As Above

Point No. 7 - Benefits (recorded in file) that may be accrued, if both UTs are merged

Reply - As Above

Monday 17 January 2022

લોકોની માંગ પર દમણ અને દીવનું દાદરા અને નગર, હવેલી સાથે વિલીનીકરણ. ખરેખર?

નીચે દર્શાવવામાં આવેલ આરટીઆઈ અરજી દ્વારા માંગવામાં આવેલ અને આપવામાં આવેલી માહિતીનું તારણ:

(૧) વિલીનીકરણ માટે કોઈ તરફથી માંગણી કરવામાં આવી નથી.

(૨) બંને કેન્દ્રશાસિત પ્રદેશો તરફથી કોઈ માંગણી કરવામાં આવી નથી.

(૩) તો પછી સમાચારપત્રોમાં એવા ખબર આવ્યા હતા કે પ્રશાસન તરફથી કેન્દ્રીય સરકાર સામે વિલીનીકરણ માટે માંગણી કરવામાં આવી છે એ સમાચાર પ્રશાસન દ્વારા પ્રચાર માધ્યમોને આપવામાં આવેલી તે શું હતું? શું એ ખબર લોકોમાં ખોટી માહિતી ફેલાવવા માટે હતા?

(૪) કેબીનેટની બેઠકમાં દાદરા અને નગર, હવેલી અને દમણ અને દીવ (કેન્દ્રશાસિત પ્રદેશોનું વિલીનીકરણ) બિલ, ૨૦૧૯ પસાર કરાવવા માટે ફક્ત એક કાગળ મોકલવામાં આવ્યો હતો. 

(૫) તો શું કેબીનેટમાં ચર્ચા-વિચારણા વગર ખરડો પસાર કરી દેવાયો હતો? ફક્ત એક કાગળ પર શું ચર્ચા કરી શકાય?

(૬) આપણા માનનીય સાંસદ શ્રી લાલુભાઈ પટેલે સંસદ દ્વારા દેશને જણાવ્યું હતું કે  દમણ અને દિવના લોકોની ઈચ્છા છે કે દમણ-દીવ અને દાદરા-નગર, હવેલીને એક-બીજામાં ભેળવી એક કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવે.

(૭) જે માહિતી મેળવવામાં આવી છે એ પ્રમાણે તો માનનીય સાંસદ શ્રી લોકસભામાં હળાહળ જુઠ્ઠુ બોલ્યાં હતા. દમણ-દીવ કે દાદરા-નગર, હવેલીમાંથી કોઈએ વિલીનીકરણની માંગણી કરી જ નથી.

(૮) ગૃહ મંત્રાલયે આપેલી માહિતી મુજબ વિલિનીકરણનો વિરોધ કરતી ચાર અરજીઓ આવેલી હતી.  

(૯) વિલીનીકરણનો વિરોધ કરતી ચાર અરજીઓ અને સમર્થનમાં એક પણ અરજી નથી છતાં વિલીનીકરણ કરવામાં આવ્યું છે, લોકોના વિરોધ પછી પણ.

(૧૦) પ્રશાસને વિલીનીકરણ સમયે એવા દાવા કર્યા હતાં કે આનાથી સરકારનાં નાંણા બચશે. પણ સરકાર પાસે આ બાબતમાં દસ્તાવેજ પર નક્કર કશું જ નથી, ફક્ત કહી-સુણી વાતો જ છે.

૧૧) વિલીનીકરણ માટે કોઈ માંગણી નહીં હતી, સરકારનો ખર્ચો ઓછો થશે એ વાત મળેલી માહિતી પ્રમાણે ખોટી પુરવાર થઇ છે તો હવે મુદ્દાનો સવાલ એ છે કે બે ભિન્ન સંસ્કૃતિ અને કાયદાવાળા પ્રદેશોને એક કોના ઈશારે કરવામાં આવ્યા અને આ તૂત ચલાવવાવાળાને આનાથી શું ફાયદો થયો હોય શકે?

ગૃહ મંત્રાલયને આરટીઆઈ અરજી 
ગૃહ મંત્રાલય તરફથી મળેલ માહિતી 

 ગૃહ વિભાગ, દાનહ અને દમણ દીવ તરફથી મળેલ માહિતી 

કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર, હવેલી સાથે વિલીનીકરણ કરીને એક કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર, હવેલી અને દમણ અને દીવ બનાવવાના સંબંધમાં નીચેની માહિતી/પ઼માણિત નકલ પ્રદાન કરો:

૧) કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દીવ તરફથી વિલીનીકરણની વિનંતી સાથેની પ્રાપ્ત  તમામ રજૂઆતો

૨) કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર, હવેલી તરફથી વિલીનીકરણની વિનંતી સાથેની પ્રાપ્ત  તમામ રજૂઆતો

૩) દમણ અને દીવના વહીવટીતંત્ર દ્વારા રજુ કરવામાં આવેલી સંપૂર્ણ ફાઇલ (ટીપ્પણી સહિત)

૪) દાદરા અને નગર, હવેલીના વહીવટીતંત્ર દ્વારા રજુ કરવામાં આવેલી સંપૂર્ણ ફાઇલ (ટીપ્પણી સહિત)

૫) કથિત વિલીનીકરણના વિરોધમાં પ્રાપ્ત થયેલ તમામ રજૂઆત (નોંધણીઓ સહિત)

૬) કેન્દ્રશાસિત પ્રદેશોના વિલીનીકરણની મંજૂરી માટે કેબિનેટ સચિવાલય દ્વારા રજુ કરવામાં આવેલી સંપૂર્ણ ફાઇલ (નોંધણીઓ સહિત)

૭) લાભો (ફાઈલમાં નોંધાયેલ) જે ઉપાર્જિત થઈ શકે છે, જો બંને કેન્દ્રશાસિત પ્રદેશોને વિલીન કરવામાં આવે તો

ગૃહ મંત્રાલય, ભારત સરકારે આપેલી માહિતી:

 "...કહેવા માટે કે મુદ્દા ક્રમાંક ૧, ૨, ૩, ૪ અને ૭ પર તમારા દ્વારા માંગવામાં આવેલ માહિતી કેન્દ્ર શાસિત પ્રશાસન દાદરા અને નગર, હવેલી અને દમણ અને દીવથી સંબંધિત છે તેથી તમારી RTI અરજી આ સાથે ટ્રાન્સફર કરવામાં આવી રહી છે..."

"...સંદર્ભ હેઠળ તમારી RTI અરજીના મુદ્દા ક્રમાંક ૫ અને ૬ પર તમારા દ્વારા માંગવામાં આવેલી માહિતી નીચે મુજબ છે..."

મુદ્દા ક્રમાંક ૫ - આ મંત્રાલયને મળેલી ચાર રજૂઆતોને અરજદારોની સૂચના હેઠળ ચકાસણી/જરૂરી પગલાં લેવા માટે આ મંત્રાલયના ૦૫.૦૮.૨૦૧૯ અને ૧૦.૦૨.૨૦૨૧ના પત્રો દ્વારા દાદરા અને નગર, હવેલી અને દમણ અને દીવના કેન્દ્ર શાસિત પ્રશાસનને મોકલવામાં આવી છે.

મુદ્દા ક્રમાંક ૬ - આખી ફાઈલ કેબિનેટ સચિવાલયમાં મોકલવામાં આવી ન હતી.  'દાદરા અને નગર, હવેલી અને દમણ અને દીવ (કેન્દ્રશાસિત પ્રદેશોનું વિલીનીકરણ) બિલ, ૨૦૧૯ પર કેબિનેટની મંજૂરી મેળવવા માટે માત્ર એક સંદેશાવ્યવહાર મોકલવામાં આવ્યો હતો.

ગૃહ વિભાગ, દાદરા અને નગર, હવેલી અને દમણ અને દીવ દ્વારા આપવામાં આવેલ માહિતી:

મુદ્દા ક્રમાંક ૧ - કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવ તરફથી વિલીનીકરણની વિનંતી સાથે પ્રાપ્ત થયેલ તમામ રજૂઆતો

જવાબ - તમારી આરટીઆઈ અરજીમાં માંગવામાં આવેલી માહિતી આ ઓફિસમાં ઉપલબ્ધ નથી

મુદ્દા ક્રમાંક ૨ - કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર, હવેલી તરફથી વિલીનીકરણની વિનંતી સાથે પ્રાપ્ત થયેલ તમામ રજૂઆતો

જવાબ - ઉપર મુજબ 

મુદ્દા ક્રમાંક ૩ - દમણ અને દીવના વહીવટીતંત્ર દ્વારા રજુ કરવામાં આવેલી સંપૂર્ણ ફાઇલ (ટીપ્પણી સહિત)

જવાબ - ઉપર મુજબ 

 મુદ્દા ક્રમાંક ૪ - દાદરા અને નગર, હવેલીના વહીવટીતંત્ર દ્વારા રજુ કરવામાં આવેલી સંપૂર્ણ ફાઇલ (ટીપ્પણી સહિત)

જવાબ - ઉપર મુજબ 

મુદ્દા ક્રમાંક ૭ - લાભો (ફાઈલમાં નોંધાયેલ) જે ઉપાર્જિત થઈ શકે છે, જો બંને કેન્દ્રશાસિત પ્રદેશોને વિલીન કરવામાં આવે તો

જવાબ - ઉપર મુજબ 

Sunday 19 December 2021

દમણ નગરપાલિકાએ ક્યાંય રસ્તા પહોળા કરવાનું નક્કી કર્યુ જ નથી The Daman Municipal Council has not decided to widen the roads anywhere in Daman

રસ્તો પહોળો કરવા માટે જમીન સંપાદન કરવાની જાહેરાત 
Announcement of land acquisition proposal to widen the road
દમણ નગરપાલિકામાંથી મળેલી માહિતી
Information received from Daman Municipal Council 

 જાહેર બાંધકામ વિભાગે બહાર પાડેલ ટેન્ડર 
Tender issued by Public Works Department

નાની દમણ ચાર રસ્તાથી સર્કિટ હાઉસ (દરિયા કાંઠા) સુધીનો ૫૦૦ની લંબાઈનો રસ્તો પહોળો કરવા માટે જમીન સંપાદન કરવાની ઉપર મુજબની જાહેરાત બહાર પાડવામાં આવેલ છે.

સોશિયલ ઈમ્પેક્ટ એસેસમેન્ટની બેઠકમાં જાણવા મળ્યુ કે અત્યારે રસ્તો જે ૧૨ મીટરની પહોળાઈનો છે તે હવે ૧૫ મીટરનો બનાવવા જઈ રહ્યાં છે. 

રસ્તાના વર્ગીકરણનુ જાહેરનામું બહાર પાડેલ છે એ મુજબ આ રસ્તો મેજર ડિસ્ટ્રીક્ટ રોડ કે અધર ડીસ્ટ્રીકટ રોડ તરીકે સામેલ નથી. આ રસ્તો દમણ નગરપાલિકા વિસ્તાર હેઠળ આવે છે એટલે એના વિકાસ કરવાનો હક્ક પણ દમણ નગરપાલિકાનો છે.

દમણ નગરપાલિકા પાસે આ બાબતમાં માહિતી માંગવમાં આવતા નગરપાલિકા દ્વારા આપવામાં આવેલ માહિતીનો સાર નીચે મુજબ છે:

(૧) કોઈ પણ રોડની પહોળાઈ નક્કી કરવામાં આવી નથી.

(૨) જે રોડની પહોળાઈ વધારવા માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે એનાં માટે એમનું કહેવું છે કે નગરપાલિકા તરફથી મજકૂર રસ્તા માટે નગરસેવકોની બેઠકમાં કોઈ મંજૂરી લેવામાં આવી નથી.

(૩) દમણના કોઈ રસ્તાની મધ્ય રેખા નક્કી કરવામાં નથી આવી.

બાકીની જે માહિતી નથી આપવામાં આવી એ બાબતમાં એમનાં કહેવાનો મતલબ એવો છે કે રસ્તા પહોળા કરવા માટે કોઈ ઠરાવ પસાર કર્યો નથી, કોઈના તરફથી રસ્તા પહોળા કરવા દરખાસ્ત મળી નથી, દમણ નગરપાલિકાએ રસ્તા પહોળા કરવા માટે બીજા કોઈ વિભાગને જવાબદારી આપવાનું નક્કી કરવામાં આવ્યું નથી.

થોડા દિવસ પહેલાં સરકારી કર્મચારીઓ એ આ પ્રસ્તાવિત માર્ગના અસરકર્તાઓને મળી એમને મકાનો પર જમીન સંપાદનની નિશાન કરવામાં આવી છે એ પ઼માણે મકાન તોડી જમીન ખુલ્લી કરવા માટે કહયું હતુ. એમને જયારે રસ્તા, વળતર  વિગેરે માટે ખુલાસો માંગતા એમણે જણાવ્યું કે એના માટે અધિકારીઓ સાથે વાત કરવી જોઈએ.

વિચારવાની વાત શું છે?

(૧) જે લોકો આ યોજનાથી પ઼ભાવિત થયાં છે એમને કયારે જણાવવામાં આવશે કે એ લોકોએ પોતાની જગ્યા કેમ આપવી જોઈએ?

(૨) પ઼ભાવિત લોકોને કોઈ બતાવશે કે એમને વળતર કેટલું અને કયારે ચૂકવવામાં આવશે?

(૩) જો દમણ નગરપાલિકા દ્વારા આ કામને મંજૂરી આપવામાં નથી આવી તો જાહેર બાંધકામ વિભાગ, નગરપાલિકા વિસ્તારમાં કોના હુકમથી જમીન સંપાદન કરીને કામ કરવા જઈ રહયું છે?

(૪) આપણા લોક લડીલા વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી કહે છે "શહેરો પોતાનો સાંસ્કૃતિક વારસો જાળવી ને વિકાસ કાર્યો કરે."
આપણા સરકારી અધિકારીઓ વડા પ્રધાનની વાતને અમલમાં મૂકી વિકાસ યોજના બનાવશે?

The above announcement has been made to acquire land for widening the 500 meters long road from Nani Daman Char Rasta to Circuit House (Nani Daman beach).

At the meeting of Social Impact Assessment, it was learned that the road which is 12 meters wide at present is going to be made 15 meters now.

This road is not included either as a Major District Road (MDR) or Other District Road (ODR) as per the road classification notification issued.  This road falls under Daman Municipal Council area. So only Daman Municipal Council has the right to carry out developmental work.

The following is a summary of information provided in this regard by the Daman Municipal Council:

(1) The width of any road has not been determined.

(2) For the road which has been notified to increase the width, they said that no approval has been sought by the municipality in the meeting of coucillors for the that road.

(3) The middle line of any road of Daman has not been determined.

In the rest of the information that has not been given, he means that no resolution has been passed to widen the roads, no proposal has been received from anyone for widening the roads, Daman Municipal Council has not decided to give responsibility to any other department for widening the roads.

A few days ago, government officials met the affected people of the proposed road and asked them to demolish the building and expose the land as the land acquisition has been marked  on the houses.  When they were asked for an explanation for the road, compensation, etc., they said that they should talk to the authorities for that.

What's the point to ponder?

(1) Why should people who have been affected by this scheme give their place when they are not informed in details about this project?

(2) Will someone show the affected people how much compensation will be paid to them and when?

(3) If this work has not been approved by Daman Municipality, then by whose order the Public Works Department is going to work in the municipal area by acquiring land?

(4) Our Dear Prime Minister Shri Narendra Modi says "Cities should preserve their cultural heritage and do development work accordingly."

Will our administrative officials implement the Prime Minister's word and make a development plan accordingly?