Tuesday, 25 January 2022

Merger of UT of Daman & Diu with UT of Dadra & Nagar, Haveli on public demand. Really?

Conclusion of the information sought and received for the below mentioned RTI application:

(1) Nobody had demanded for merger.

(2) No demands were made from both the Union Territories.

(3) It was reported in the newspapers that the demands for merger were received from the administration in the central government. Then what about news given to the media by the administration?  Was it with aim to spread misinformation in the people?

(4) Only one paper was sent to the Cabinet meeting for passing Dadra and Nagar, Haveli and Daman and Diu (Merger of Union Territories) Bill, 2019.

(5) So was the bill passed in the cabinet without any discussion?  What can be discussed on just one paper?

(6) Our honourable MP Shri Lalubhai Patel informed the nation through Parliament that the people of Daman and Diu wants Daman-Diu and Dadra-Nagar, Haveli to be merged into one another to form a new Union Territory.

(7) According to the information given, the honourable Member of Parliament blatantly lied in the Lok Sabha.  No one from Daman-Diu or Dadra-Nagar, Haveli has demanded the merger.

(8) According to the information provided by the Ministry of Home Affairs, there were four petitions opposing the merger.

(9) Although four petitions opposing the merger and not a single petition in support, the merger has taken place.

(10) The administration at the time of the merger claimed that this would save the government money.  But the government has nothing concrete on records on the matter, exept gossip.

(11) There was no demand for the merger, the information that the government will reduce the expenses has been proved wrong by the information received. Now the question is, on whose demand two different territories with different cultures and laws were merged and what could be the benefit to those who carried out this scheme?

RTI application to MoHA
Information provided by Ministry of Home Affairs 

Information provided by Home Department, UT of DNH & DD


Provide following information/Certified copy with regard to merger of UT of Daman & Diu with UT of Dadra & Nagar, Haveli into one Union Territory of Dadra & Nagar, Haveli and Daman & Diu:

1) All representation received with request of merger from UT of Daman & Diu

2) All representation received with request of merger from UT of Dadra & Nagar, Haveli

3) Entire file submitted by the Administration of Daman & Diu (including Notings)

4) Entire file submitted by the Administration of Dadra & Nagar, Haveli (including Noting)

5) All representation received opposing said merger (including notings)

6) Entire file submitted by the Cabinet Secretariat for approval of merger of UTs (including notings)

7) Benefits (recorded in file) that may be accrued, if both UTs are merged

Information given by Ministry of Home Affairs, GoI

"...to say that the information  sought by you at Point Nos. 1, 2, 3, 4 and 7 pertains to the UT Administration of Dadra & Nagar, Haveli and Daman & Diu therefore your RTI application is being transferred herewith..."

"...information sought by you at Point Nos. 5 and 6 of your RTI application under reference the requisite information is as under..."

Point No. 5 - Four representations received in this Ministry have been forwarded to the UT Administration of Dadra and Nagar, Haveli and Daman and Diu vide this Ministry's letters dated 05.08.2019 and 10.02.2021 for examination/taking necessary action under intimation to the petitioners

Point No. 6 - The entire file was not submitted to the Cabinet Secretariat. Only a communication was sent for seeking approval of Cabinet on 'The Dadra and Nagar, Haveli and Daman and Diu (Merger of Union Territories) Bill, 2019

Information provided by the Home Department, Dadra & Nagar, Haveli and Daman and Diu 

Point No. 1 - All representation received with request of merger from UT of Daman & Diu 

Reply - The information sought in your RTI application is not available in this office 

Point No. 2 - All representation received with request of merger from UT of Dadra & Nagar, Haveli

Reply - As Above

Point No. 3 - Entire file submitted by the Administration of Daman & Diu (including noting)

Reply - As Above

Point No. 4 - Entire file submitted by the Administration of Dadra & Nagar, Haveli (including Noting)

Reply - As Above

Point No. 7 - Benefits (recorded in file) that may be accrued, if both UTs are merged

Reply - As Above

Monday, 17 January 2022

લોકોની માંગ પર દમણ અને દીવનું દાદરા અને નગર, હવેલી સાથે વિલીનીકરણ. ખરેખર?

નીચે દર્શાવવામાં આવેલ આરટીઆઈ અરજી દ્વારા માંગવામાં આવેલ અને આપવામાં આવેલી માહિતીનું તારણ:

(૧) વિલીનીકરણ માટે કોઈ તરફથી માંગણી કરવામાં આવી નથી.

(૨) બંને કેન્દ્રશાસિત પ્રદેશો તરફથી કોઈ માંગણી કરવામાં આવી નથી.

(૩) તો પછી સમાચારપત્રોમાં એવા ખબર આવ્યા હતા કે પ્રશાસન તરફથી કેન્દ્રીય સરકાર સામે વિલીનીકરણ માટે માંગણી કરવામાં આવી છે એ સમાચાર પ્રશાસન દ્વારા પ્રચાર માધ્યમોને આપવામાં આવેલી તે શું હતું? શું એ ખબર લોકોમાં ખોટી માહિતી ફેલાવવા માટે હતા?

(૪) કેબીનેટની બેઠકમાં દાદરા અને નગર, હવેલી અને દમણ અને દીવ (કેન્દ્રશાસિત પ્રદેશોનું વિલીનીકરણ) બિલ, ૨૦૧૯ પસાર કરાવવા માટે ફક્ત એક કાગળ મોકલવામાં આવ્યો હતો. 

(૫) તો શું કેબીનેટમાં ચર્ચા-વિચારણા વગર ખરડો પસાર કરી દેવાયો હતો? ફક્ત એક કાગળ પર શું ચર્ચા કરી શકાય?

(૬) આપણા માનનીય સાંસદ શ્રી લાલુભાઈ પટેલે સંસદ દ્વારા દેશને જણાવ્યું હતું કે  દમણ અને દિવના લોકોની ઈચ્છા છે કે દમણ-દીવ અને દાદરા-નગર, હવેલીને એક-બીજામાં ભેળવી એક કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવે.

(૭) જે માહિતી મેળવવામાં આવી છે એ પ્રમાણે તો માનનીય સાંસદ શ્રી લોકસભામાં હળાહળ જુઠ્ઠુ બોલ્યાં હતા. દમણ-દીવ કે દાદરા-નગર, હવેલીમાંથી કોઈએ વિલીનીકરણની માંગણી કરી જ નથી.

(૮) ગૃહ મંત્રાલયે આપેલી માહિતી મુજબ વિલિનીકરણનો વિરોધ કરતી ચાર અરજીઓ આવેલી હતી.  

(૯) વિલીનીકરણનો વિરોધ કરતી ચાર અરજીઓ અને સમર્થનમાં એક પણ અરજી નથી છતાં વિલીનીકરણ કરવામાં આવ્યું છે, લોકોના વિરોધ પછી પણ.

(૧૦) પ્રશાસને વિલીનીકરણ સમયે એવા દાવા કર્યા હતાં કે આનાથી સરકારનાં નાંણા બચશે. પણ સરકાર પાસે આ બાબતમાં દસ્તાવેજ પર નક્કર કશું જ નથી, ફક્ત કહી-સુણી વાતો જ છે.

૧૧) વિલીનીકરણ માટે કોઈ માંગણી નહીં હતી, સરકારનો ખર્ચો ઓછો થશે એ વાત મળેલી માહિતી પ્રમાણે ખોટી પુરવાર થઇ છે તો હવે મુદ્દાનો સવાલ એ છે કે બે ભિન્ન સંસ્કૃતિ અને કાયદાવાળા પ્રદેશોને એક કોના ઈશારે કરવામાં આવ્યા અને આ તૂત ચલાવવાવાળાને આનાથી શું ફાયદો થયો હોય શકે?

ગૃહ મંત્રાલયને આરટીઆઈ અરજી 
ગૃહ મંત્રાલય તરફથી મળેલ માહિતી 

 ગૃહ વિભાગ, દાનહ અને દમણ દીવ તરફથી મળેલ માહિતી 

કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર, હવેલી સાથે વિલીનીકરણ કરીને એક કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર, હવેલી અને દમણ અને દીવ બનાવવાના સંબંધમાં નીચેની માહિતી/પ઼માણિત નકલ પ્રદાન કરો:

૧) કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દીવ તરફથી વિલીનીકરણની વિનંતી સાથેની પ્રાપ્ત  તમામ રજૂઆતો

૨) કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર, હવેલી તરફથી વિલીનીકરણની વિનંતી સાથેની પ્રાપ્ત  તમામ રજૂઆતો

૩) દમણ અને દીવના વહીવટીતંત્ર દ્વારા રજુ કરવામાં આવેલી સંપૂર્ણ ફાઇલ (ટીપ્પણી સહિત)

૪) દાદરા અને નગર, હવેલીના વહીવટીતંત્ર દ્વારા રજુ કરવામાં આવેલી સંપૂર્ણ ફાઇલ (ટીપ્પણી સહિત)

૫) કથિત વિલીનીકરણના વિરોધમાં પ્રાપ્ત થયેલ તમામ રજૂઆત (નોંધણીઓ સહિત)

૬) કેન્દ્રશાસિત પ્રદેશોના વિલીનીકરણની મંજૂરી માટે કેબિનેટ સચિવાલય દ્વારા રજુ કરવામાં આવેલી સંપૂર્ણ ફાઇલ (નોંધણીઓ સહિત)

૭) લાભો (ફાઈલમાં નોંધાયેલ) જે ઉપાર્જિત થઈ શકે છે, જો બંને કેન્દ્રશાસિત પ્રદેશોને વિલીન કરવામાં આવે તો

ગૃહ મંત્રાલય, ભારત સરકારે આપેલી માહિતી:

 "...કહેવા માટે કે મુદ્દા ક્રમાંક ૧, ૨, ૩, ૪ અને ૭ પર તમારા દ્વારા માંગવામાં આવેલ માહિતી કેન્દ્ર શાસિત પ્રશાસન દાદરા અને નગર, હવેલી અને દમણ અને દીવથી સંબંધિત છે તેથી તમારી RTI અરજી આ સાથે ટ્રાન્સફર કરવામાં આવી રહી છે..."

"...સંદર્ભ હેઠળ તમારી RTI અરજીના મુદ્દા ક્રમાંક ૫ અને ૬ પર તમારા દ્વારા માંગવામાં આવેલી માહિતી નીચે મુજબ છે..."

મુદ્દા ક્રમાંક ૫ - આ મંત્રાલયને મળેલી ચાર રજૂઆતોને અરજદારોની સૂચના હેઠળ ચકાસણી/જરૂરી પગલાં લેવા માટે આ મંત્રાલયના ૦૫.૦૮.૨૦૧૯ અને ૧૦.૦૨.૨૦૨૧ના પત્રો દ્વારા દાદરા અને નગર, હવેલી અને દમણ અને દીવના કેન્દ્ર શાસિત પ્રશાસનને મોકલવામાં આવી છે.

મુદ્દા ક્રમાંક ૬ - આખી ફાઈલ કેબિનેટ સચિવાલયમાં મોકલવામાં આવી ન હતી.  'દાદરા અને નગર, હવેલી અને દમણ અને દીવ (કેન્દ્રશાસિત પ્રદેશોનું વિલીનીકરણ) બિલ, ૨૦૧૯ પર કેબિનેટની મંજૂરી મેળવવા માટે માત્ર એક સંદેશાવ્યવહાર મોકલવામાં આવ્યો હતો.

ગૃહ વિભાગ, દાદરા અને નગર, હવેલી અને દમણ અને દીવ દ્વારા આપવામાં આવેલ માહિતી:

મુદ્દા ક્રમાંક ૧ - કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવ તરફથી વિલીનીકરણની વિનંતી સાથે પ્રાપ્ત થયેલ તમામ રજૂઆતો

જવાબ - તમારી આરટીઆઈ અરજીમાં માંગવામાં આવેલી માહિતી આ ઓફિસમાં ઉપલબ્ધ નથી

મુદ્દા ક્રમાંક ૨ - કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર, હવેલી તરફથી વિલીનીકરણની વિનંતી સાથે પ્રાપ્ત થયેલ તમામ રજૂઆતો

જવાબ - ઉપર મુજબ 

મુદ્દા ક્રમાંક ૩ - દમણ અને દીવના વહીવટીતંત્ર દ્વારા રજુ કરવામાં આવેલી સંપૂર્ણ ફાઇલ (ટીપ્પણી સહિત)

જવાબ - ઉપર મુજબ 

 મુદ્દા ક્રમાંક ૪ - દાદરા અને નગર, હવેલીના વહીવટીતંત્ર દ્વારા રજુ કરવામાં આવેલી સંપૂર્ણ ફાઇલ (ટીપ્પણી સહિત)

જવાબ - ઉપર મુજબ 

મુદ્દા ક્રમાંક ૭ - લાભો (ફાઈલમાં નોંધાયેલ) જે ઉપાર્જિત થઈ શકે છે, જો બંને કેન્દ્રશાસિત પ્રદેશોને વિલીન કરવામાં આવે તો

જવાબ - ઉપર મુજબ 

Sunday, 19 December 2021

દમણ નગરપાલિકાએ ક્યાંય રસ્તા પહોળા કરવાનું નક્કી કર્યુ જ નથી The Daman Municipal Council has not decided to widen the roads anywhere in Daman

રસ્તો પહોળો કરવા માટે જમીન સંપાદન કરવાની જાહેરાત 
Announcement of land acquisition proposal to widen the road
દમણ નગરપાલિકામાંથી મળેલી માહિતી
Information received from Daman Municipal Council 

 જાહેર બાંધકામ વિભાગે બહાર પાડેલ ટેન્ડર 
Tender issued by Public Works Department

નાની દમણ ચાર રસ્તાથી સર્કિટ હાઉસ (દરિયા કાંઠા) સુધીનો ૫૦૦ની લંબાઈનો રસ્તો પહોળો કરવા માટે જમીન સંપાદન કરવાની ઉપર મુજબની જાહેરાત બહાર પાડવામાં આવેલ છે.

સોશિયલ ઈમ્પેક્ટ એસેસમેન્ટની બેઠકમાં જાણવા મળ્યુ કે અત્યારે રસ્તો જે ૧૨ મીટરની પહોળાઈનો છે તે હવે ૧૫ મીટરનો બનાવવા જઈ રહ્યાં છે. 

રસ્તાના વર્ગીકરણનુ જાહેરનામું બહાર પાડેલ છે એ મુજબ આ રસ્તો મેજર ડિસ્ટ્રીક્ટ રોડ કે અધર ડીસ્ટ્રીકટ રોડ તરીકે સામેલ નથી. આ રસ્તો દમણ નગરપાલિકા વિસ્તાર હેઠળ આવે છે એટલે એના વિકાસ કરવાનો હક્ક પણ દમણ નગરપાલિકાનો છે.

દમણ નગરપાલિકા પાસે આ બાબતમાં માહિતી માંગવમાં આવતા નગરપાલિકા દ્વારા આપવામાં આવેલ માહિતીનો સાર નીચે મુજબ છે:

(૧) કોઈ પણ રોડની પહોળાઈ નક્કી કરવામાં આવી નથી.

(૨) જે રોડની પહોળાઈ વધારવા માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે એનાં માટે એમનું કહેવું છે કે નગરપાલિકા તરફથી મજકૂર રસ્તા માટે નગરસેવકોની બેઠકમાં કોઈ મંજૂરી લેવામાં આવી નથી.

(૩) દમણના કોઈ રસ્તાની મધ્ય રેખા નક્કી કરવામાં નથી આવી.

બાકીની જે માહિતી નથી આપવામાં આવી એ બાબતમાં એમનાં કહેવાનો મતલબ એવો છે કે રસ્તા પહોળા કરવા માટે કોઈ ઠરાવ પસાર કર્યો નથી, કોઈના તરફથી રસ્તા પહોળા કરવા દરખાસ્ત મળી નથી, દમણ નગરપાલિકાએ રસ્તા પહોળા કરવા માટે બીજા કોઈ વિભાગને જવાબદારી આપવાનું નક્કી કરવામાં આવ્યું નથી.

થોડા દિવસ પહેલાં સરકારી કર્મચારીઓ એ આ પ્રસ્તાવિત માર્ગના અસરકર્તાઓને મળી એમને મકાનો પર જમીન સંપાદનની નિશાન કરવામાં આવી છે એ પ઼માણે મકાન તોડી જમીન ખુલ્લી કરવા માટે કહયું હતુ. એમને જયારે રસ્તા, વળતર  વિગેરે માટે ખુલાસો માંગતા એમણે જણાવ્યું કે એના માટે અધિકારીઓ સાથે વાત કરવી જોઈએ.

વિચારવાની વાત શું છે?

(૧) જે લોકો આ યોજનાથી પ઼ભાવિત થયાં છે એમને કયારે જણાવવામાં આવશે કે એ લોકોએ પોતાની જગ્યા કેમ આપવી જોઈએ?

(૨) પ઼ભાવિત લોકોને કોઈ બતાવશે કે એમને વળતર કેટલું અને કયારે ચૂકવવામાં આવશે?

(૩) જો દમણ નગરપાલિકા દ્વારા આ કામને મંજૂરી આપવામાં નથી આવી તો જાહેર બાંધકામ વિભાગ, નગરપાલિકા વિસ્તારમાં કોના હુકમથી જમીન સંપાદન કરીને કામ કરવા જઈ રહયું છે?

(૪) આપણા લોક લડીલા વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી કહે છે "શહેરો પોતાનો સાંસ્કૃતિક વારસો જાળવી ને વિકાસ કાર્યો કરે."
આપણા સરકારી અધિકારીઓ વડા પ્રધાનની વાતને અમલમાં મૂકી વિકાસ યોજના બનાવશે?

The above announcement has been made to acquire land for widening the 500 meters long road from Nani Daman Char Rasta to Circuit House (Nani Daman beach).

At the meeting of Social Impact Assessment, it was learned that the road which is 12 meters wide at present is going to be made 15 meters now.

This road is not included either as a Major District Road (MDR) or Other District Road (ODR) as per the road classification notification issued.  This road falls under Daman Municipal Council area. So only Daman Municipal Council has the right to carry out developmental work.

The following is a summary of information provided in this regard by the Daman Municipal Council:

(1) The width of any road has not been determined.

(2) For the road which has been notified to increase the width, they said that no approval has been sought by the municipality in the meeting of coucillors for the that road.

(3) The middle line of any road of Daman has not been determined.

In the rest of the information that has not been given, he means that no resolution has been passed to widen the roads, no proposal has been received from anyone for widening the roads, Daman Municipal Council has not decided to give responsibility to any other department for widening the roads.

A few days ago, government officials met the affected people of the proposed road and asked them to demolish the building and expose the land as the land acquisition has been marked  on the houses.  When they were asked for an explanation for the road, compensation, etc., they said that they should talk to the authorities for that.

What's the point to ponder?

(1) Why should people who have been affected by this scheme give their place when they are not informed in details about this project?

(2) Will someone show the affected people how much compensation will be paid to them and when?

(3) If this work has not been approved by Daman Municipality, then by whose order the Public Works Department is going to work in the municipal area by acquiring land?

(4) Our Dear Prime Minister Shri Narendra Modi says "Cities should preserve their cultural heritage and do development work accordingly."

Will our administrative officials implement the Prime Minister's word and make a development plan accordingly?

Friday, 19 February 2021

દાનહ અને દદી પ્રદેશ ભાજપને લોકોની નહિ પણ સત્તાની ચિંતા

 





દમણ નગરપાલિકામાં મિલકત વેરામાં અસહ્વય વધારો અને દમણ જીલ્લામાં બિનજરૂરી માર્ગ વિસ્તરણ અને એના માટે જબરજસ્તીથી થતા જમીન સંપાદન વિશેની માહિતી માટે આરટીઆઈ કરી હતી અને પત્ર-વ્યવહાર કર્યો હતો પણ સરકાર તરફથી કોઈ જવાબ નહિ મળતા શ્રી હિરેન જોશી, દમણ શહેર ભાજપ પ્રમુખને મદદ માટે પત્ર લખ્યો હતો, જેની પ્રત આગળના બ્લોગમાં આપ્યો છે.

શ્રી હિરેન જોશી તરફથી કોઈ સંતોષકારક જવાબ નહિ મળતા, શ્રી દીપેશ ટંડેલ, પ્રદેશ પ્રમુખ, દાદરા અને નગર, હવેલી અને દમણ અને દીવ ભાજપને મદદ માટે તારીખ ૦૨/૦૨/૨૦૨૧ના રોજ પત્ર લખ્યો હતો.

શ્રી દીપેશ ટંડેલ, જે ભાજપના પ્રદેશ પ્રમુખ છે તે પોતે પણ એક આરટીઆઈ કાર્યકર્તા છે એટલે એમને ખ્યાલ છે કે માહિતી ન આપવાનું કારણ શું હોય છે અને એટલે જ એમની પાસે મદદ માટે આવ્હાન કરવામાં આવ્યુ હતું, જેના માટે એમને ૭ દિવસનો સમય આપવામાં આવ્યો હતો. જે હિસાબે સરકાર દ્વારા ઉતાવળથી જમીન સંપાદન કરવામાં આવી રહ્યું છે તે જોઇને ૭ દિવસનો સમય આપવામાં આવ્યો હતો.

૭ દિવસ પુરા થવા છતાં શ્રી દીપેશ ટંડેલ તરફથી કોઈ જવાબ નહિ આવતા એમની પાસે મુલાકાત માટે સમય માંગવા માટે ફોન કરતા એમના તરફથી મુલાકાત માટે સમય આપવામાં નહિ આવ્યો હતો અને ટાળવાની કોશિશ કરવામાં આવી હતી.

ફક્ત બે રસ્તા બનાવવાથી વિકાસ થાય છે? વિકાસ ત્યારે દેખાય જયારે સર્વાંગી વિકાસ થાય. રસ્તાઓ બનવા જોઈએ પણ સાથે-સાથે જે જુના રસ્તા છે તેનો રખ-રખાવ પણ થવો જોઈએ. આજે દમણના દરેક રસ્તાની હાલત ખરાબ છે, જેના કામ ચાલુ છે તેના ઠેકેદારો કામ છોડીને જઇ રહ્યા છે, અનેક કામ અધૂરા પડયા છે અને લોકોને પારાવાર તકલીફ પડી રહી છે.

ઔધોગિક વિસ્તારમાં રસ્તા બિસ્માર પડેલા છે જેના લીધે લાખો માનવ કલાકો અને ઇંધણનો બેહિસાબ વ્યય થાય છે, ઔદ્યોગિક એકમો દમણ છોડીને જઇ રહ્યો છે અને દમણમાં લોકોના રોજગાર ઓછા થઇ રહ્યા છે.

બે લાખની વસ્તી અને ૭૨ ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવતા ગામમાં ૪ લેન અને ૬ લેનના અગણિત રસ્તાઓની કેમ જરૂર છે એ વાત લોકો દ્વારા પૂછવા છતાં સરકાર હજુ સુધી ફોડ પાડીને બતાવી નથી શકી.

શ્રી દીપેશ ટંડેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ અને ભાજપના આજ સુધીના વ્યવહાર પરથી એવું લાગી રહ્યું છે કે ભાજપ લોકો માટે નથી પણ લોકો ભાજપ માટે છે, ભાજપને જીતાડવા માટે ફક્ત તેમનો ઉપયોગ થાય છે.

ભાજપનો દાવો છે કે તેમની સવેદનશીલ સરકાર છે પણ આ કેવી સંવેદના છે એજ સમજ નથી પડતી.

Sunday, 17 January 2021

દમણ ભાજપના શહેર પ્રમુખને દમણના લોકોની વ્યથા વર્ણવતો પત્ર

   
દમણ નગરપાલિકામાં ભાજપનું શાસન છે એટલે દમણના લોકોની વ્યથા વર્ણવતો એક પત્ર દમણ ભાજપના શહેર પ્રમુખને લખ્યો છે. 

દમણ નગરપાલિકાના પ્રમુખને નગરપાલિકાના મુખ્ય અધિકારી દાદ નહીં આપતા હોવાથી આ પત્ર લખવાની જરુર પડી છે. જેમાં નગરપાલિકાના મુખ્ય અધિકારી અને કલેક્ટર આર.ટી.આઈ. હેઠળ માહિતી નહીં આપતા હોવાની બાબત વર્ણવી છે.

મુખ્ય વિનંતી રસ્તા બિંજરૂરી રીતે પહોળા કરવા અને એના માટે લોકોની જગ્યા જબરજસ્તીથી સંપાદનની બાબત છે.

જોઈએ કેવી કાર્યવાહી થાય છે.





 

Sunday, 3 January 2021

દમણની ગ્રાન્ટ-ઇન-એઇડ શાળામાં શિક્ષકોને ૧૬ વર્ષથી નવી પેન્શન યોજનાનો લાભ નહીં મળવા પાછળના જવાબદાર કોણ?





સરકારે વર્ષ ૨૦૦૪થી જૂની પેન્શન યોજનાની જગ્યાએ નવી પેન્શન યોજના ચાલુ કરેલ છે પણ દમણમાં ગ્રાન્ટ-ઇન-શાળાઓમાં હજુ સુધી એ લાગુ નથી થઈ.

કારણ જાણવા માટે એક આરટીઆઇ, શિક્ષણ વિભાગમાં કરવામાં આવી હતી જે એમણે જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગમાં મોકલી હતી જ્યાથી એ ઉપ-નિદેશક (હિસાબ)ને મોકલવામાં આવી હતી.

ઉપ-નિર્દેશક (હિસાબ) તરફથી જે માહિતી મળી તે ઉપર આપી છે. એમણે આખી ફાઇલ તો નથી આપી પણ જેટલી પણ માહિતી આપી છે તે સ્ફોટક છે જેનો ફાઇલ નંબર EDN/DMN/NPS/GIA FTS No. 28584 છે.

૨૦૦૪થી નવી પેન્શન યોજના લાગુ પાડવામાં આવી છે પણ સંઘ પ્રદેશમાં હજુ સુધી લાગુ પાડવામાં નથી આવી અને નહીં લાગુ પાડવાનું કારણ એટલું જ કે હજુ સુધી એ એક મેજ થી બીજી મેજ એમ ફર્યા કરે છે પણ નિર્ણય કોઈ નથી કરતું અને છેલ્લા ૧૬ વર્ષથી આ ગ્રાન્ટ-ઇન-શાળાના કર્મચારીઓ પેન્શનના લાભ વગર કામ કરી રહ્યા છે.

મને યાદ આવે છે ૧૯૮૭ પહેલાનો એ જમાનો કે જ્યારે ગોવા, દમણ અને દીવ સાથે હતા અને ત્યારે દમણમાં ફકત એક કલેક્ટર હતા પણ નિર્ણયો ત્વરિત લેવામાં આવતા હતા.

હવે દમણ અને દીવમાં અધિકારીઓની આખી ફોજ છે પણ પ્રજાલક્ષી બાબતોમાં નિર્ણય લેવામાં વર્ષો લાગી જાય છે.

૧૬ વર્ષ પછી પણ ગ્રાન્ટ-ઇન-શાળાના કર્મચારીઓને નવી પેન્શન યોજનાનો લાભ મળવામાં હજુ કેટલા વર્ષો રાહ જોવી પડશે? શું નમાલાઓ જાગશે કે પછી પાંચ વર્ષ પછી પાછા આવીને કહશે કે અમારું કોઈ સાંભળતું નથી?

Tuesday, 29 December 2020

33 વર્ષથી દાદરા અને નગર, હવેલી અને દમણ અને દીવમાં કાયમી સુપરિંટેંડિંગ એંજિનિયર કેમ નથી? (ભાગ - ૨)




ભાગ - ૧ માં જણાવ્યા મુજબ ૨૭/૦૧/૨૦૧૬ના મોકલેલ ઈમેલ પર કરેલ કાયૅવાહી વિશે માહીતિ મેળવવા માટે કરેલ આરટીઆઈની અરજી સેકરેટરી પીડબલયુડીને મોકલવામાં આવી હતી પણ પછી કોઇ જવાબ નહી આવતા પહેલી અપીલ કરવામાં આવી ત્યારે ખબર પડી કે અરજી સુપરીટેનડીંગ ઈજનેરને મોકલવામાં આવેલ છે, જેની બાબતમાં આ અરજી કરવામાં આવેલ હતી.

જે સુપરઇન્તેન્ડીંગ એન્જીનીયરના કાયમીપણ માટે અરજી કરી હતી એને એમ કહેવાનો હક આપવામાં આવ્યો કે એ જણાવે કે એ 33 વરસથી કાયમી કેમ નથી? જેનો એણે પુરેપૂરો લાભ લીધો.

ઘણી વખત યાદ કરાવવા છતા અને કોવિડ-19ના કારણે હું અપીલમાં હાજર નહી રહી સકીશ કહેવા પછી પણ ઘણા સમય પછી હૂકમ બહાર પાડયો જેમાં માહિતી અધિકારીને જણાવવામાં આવેલ કે જવાબ કેવી રીતે આપવો જે બિલકુલ ગેરજવાબદારી કહેવાય. હુકમમાં કશે પણ આ અરજી કેટલે ઠેકાણે ફરી, માહિતી અધિકારીએ સમયસર માહિતી કેમ નથી આપી એનો કોઈ ખુલાસો નથી પણ માહિતી કેવી રીતે આપવી એ નોંધેલ છે.

માહિતી અધિકારીએ એમના ઊપરીના આદેશનુ બરાબર પાલન કરીને માહિતી આપી કે ૨૦૦૨થી ફાઇલ પસાર કરવા મુકેલી છે પણ હજુ સુધી એ પસાર નહી થવાથી સુપરીટેનડીંગ ઇજનેર ૧૯૮૭થી કાયમી નથી થયા.

૧૯૮૭થી સુપરીટેંડીંગ ઇજનેર કામચલાવ છે અને સરકારને ૨૦૦૨માં એટલેકે ૧૫ વર્ષ પછી ફુરસદ મળી બનાવવાની અને અને જોવાની વાત એછે કે તે ફાઈલ ૧૮ વરસ પછી પણ પસાર નથી થઈ.

આવું થવાનું કારણ કોઈને ખબર છે? આવુ થવાનું કારણ એ છે કે જો ફાઈલ પસાર થઈ જાય તો કોઈ લોકલ માણસ લાયકાતના આધારે સુપરીટેંડીંગ ઈજનેર બની જાય અને પછી જે ઊપરી અધિકારીઓને મઝા છે તેના પર કાપ આવી જાય અને એટલે જ લોકલના ભોગે બહારથી કામચલાવ સુપરીટેંડીંગ ઈજનેર લાવવામાં આવે છે.